વલસાડમાં PM મોદીએ કહ્યું, 'ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખનારાઓથી ચેતજો'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દમણ ઍરપૉર્ટ આવી પહોંચ્યા હતા.
વડા પ્રધાન મોદીએ દમણ ઍરપૉર્ટથી વાપી સુધી 11 કિલોમિટર લાંબો રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શો બાદ વલસાડમાં તેમણે જાહેર સભા સંબોધી હતી.
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, "ગુજરાતને બદનામ કરનારી ટોળકી સક્રિય થઈ છે. તેઓ દૂધમાં જે રીતે સાકર ભળે તેમ ભળી ગયા છે. પણ ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેમને આપણે કોઈ પણ ભોગે સ્વીકારવાના નથી."
કૉંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું, "કૉંગ્રેસની સરકારમાં એક જીબી મોબાઇલ ડેટાના 300 રૂપિયા ખર્ચવા પડતા હતા. આજે 10 રૂપિયામાં એક જીબી ડેટા મળે છે. જો પહેલાંની સરકાર હોત તો તમારું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા આવતું હોત."
આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ પ્રથમ વખત મત આપનારા મતાદાતાઓને વોટિંગ માટે વિશેષ અપીલ કરી હતી.