ઋષિ સુનકે પાકિસ્તાન પર હવાઈ હુમલાને યોગ્ય ઠેરવ્યા, શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલામાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે યોગ્ય ઠેરવ્યો છે.
ઋષિ સુનકનું કહેવું છે કે, "ભારતે જે આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલા કર્યા, એ યોગ્ય હતું."
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "કોઈ પણ દેશને પોતાની વિરુદ્ધ થનારા આતંકવાદી હુમલાને સ્વીકાર ન કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે દેશથી નિયંત્રિત જમીનથી એ થયો હોય."
તેમણે લખ્યું, "ભારતે જે આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલો કર્યો, એ યોગ્ય હતો. આતંકવાદીઓને કોઈ પણ પ્રકારની છૂટ ન આપી શકાય."
મંગળવારેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણી જગ્યાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા અનુસાર 26 નાગરિકોનાં મૃત્યુ થયાં અને 46 ઈજાગ્રસ્ત થયા.



























