શ્રીલંકામાં હિંસા અને પ્રદર્શનો વચ્ચે રનિલ વિક્રમસિંઘેએ સંભાળી દેશની કમાન, બન્યા નવા વડા પ્રધાન

શ્રીલંકામાં રાજકીય સંકટ બાદ હવે નવા વડા પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. રનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા વડા પ્રધાન બન્યા છે.

શ્રીલંકા

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકામાં અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કટોકટીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રીલંકામાં રાજપક્ષે પરિવારમાં વડા પ્રધાન રહેલા મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.

જે બાદ હવે શ્રીલંકામાં નવા વડા પ્રધાનની જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કોલંબોના ગૉલફેસમાં ગત એક મહિનાથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

જે બાદ મહિંદા રાજપક્ષેના સમર્થકો પણ કોલંબોમાં તેમના ઘર પાસે જમા થઈ ગયા અને તેમને રાજીનામું ન આપવા માટે કહ્યું હતું.

આમાંથી કેટલાંક લોકોએ મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાત પણ કરી. પછી તે ત્યાંથી નીકળીને ગૉલ ફેસ ખાતે પ્રદર્શનસ્થળ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

જોકે, રાજધાની સહિત દેશમાં પ્રદર્શનો અને હિંસા વધતા આખરે મહિંદા રાજપક્ષેએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

line

પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન અને સાંસદોનાં ઘરો સળગાવી દીધાં

શ્રીલંકાના કોલંબામાં સ્થિત વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના સરકારી આવાસ પાસે જ પ્રદર્શનકારીઓએ આ બસને આગ ચાંપી દીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના કોલંબામાં સ્થિત વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના સરકારી આવાસ પાસે જ પ્રદર્શનકારીઓએ આ બસને આગ ચાંપી દીધી હતી.

શ્રીલંકા આર્થિક સંકટ સામે મથી રહ્યું છે અને સરકારવિરોધી પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના પૈતૃક ઘર અને સત્તાધારી પક્ષના 15 કરતાં વધારે સભ્યોનાં ઘરો અને ઑફિસોને આગ ચાપી દીધી હતી.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વધી રહેલી હિંસાને પગલે ગઈ કાલે રાત્રે બે દિવસ માટે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં હજારો પ્રદર્શનકારીઓ રાજપક્ષે પરિવારને સત્તામાંથી બહાર કાઢવા માટે પ્રદર્શનો કરી રહ્યા છે.

દેશભરમાં હિંસા ફેલાયેલી છે, હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં વર્તમાન સાંસદ સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજધાની કોલંબોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ઘરની બહાર ફાટી નીકળેલી આ હિંસામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. સાથે જ સત્તાધારી પાર્ટીના એક નેતાઓ કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી અને પછી આપઘાત કર્યો હતો.

સત્તાધારી પાર્ટીના સમર્થકોએ પોલીસના બૅરિકેડ તોડીને લાકડીઓથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને વૉટર-કેનનનો ઉપયોગ પણ કર્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતથી ભાવવધારા અને પાવરમાં કાપના કારણે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો