શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી

ઇમેજ સ્રોત, FACEBOOK/SHARJEEL IMAM
જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે 'રાજદ્રોહ અને જામિયામાં હિંસા ભડકાવવાના ભાષણ' માટે ચાર્જશીટ દાખલ કરી છે.
શરજીલ ઇમામે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન 15 ડિસેમ્બર, 2019માં ભાષણ આપ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસનો આરોપ છે કે તેમના ભાષણ બાદ જામિયા વિસ્તારમાં હિંસા ભડકી હતી.
શરજીલ ઇમામના વકીલ અહમદ ઇબ્રાહીમે કહ્યું, "દિલ્હી પોલીસ તરફથી 17 એપ્રિલ, 2020ના રોજ દાખલ કરાયેલી ચાર્જશીટને અમે પૂરી રીતે જોઈ નથી. તેને સંપૂર્ણ જોયા પછી જ અમે યોગ્ય પગલાં ભરીશું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શરજીલની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે 28 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. જોકે પરિવારજનોનું કહેવું હતું કે તેણે સરેન્ડર કર્યું હતું.
બાદમાં જહાનાબાદની કોર્ટે તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા.

કોણ છે શરજીલ ઇમામ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શરજીલ જહાનાબાદના કાકોના રહેવાસી છે. કાકો મુખ્યાલય પણ છે.
અહીંની વસતી મિશ્રિત છે. જોકે કાકો ગામમાં મુસ્લિમોની વસતી વધુ છે. શરજીલનું ઘર મલ્લિક શેરીમાં આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતા અકબર ઇમામની છાપ વિસ્તારમાં સારી છે. તેઓ બે-બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.
2005માં તેઓએ છેલ્લે જેડીયુની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારે તેઓ 2250 મતથી હારી ગયા હતા.
શરજીલે પ્રાથમિક શિક્ષણ કાકોમાંથી લીધું છે. બાદમાં તેઓ પટનાની સૅન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણવા ગયા હતા.
ત્યાંથી તેઓએ ડીપીએસ વસંતકુંજ અને પછી આઈઆઈટી પોવઇથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યું. અને હવે જેએનયુમાં પીએચ.ડી.

ક્યારે અને કેમ ચર્ચામાં આવ્યા?
CAA અને NRCના વિરોધ દરમિયાન શરજીલનો એક વીડિયો વાઇરલ થયો હતો.
વાઇરલ વીડિયો શરજીલ કહે છે કે "જો આપણે આસામના લોકોની મદદ કરવી હોય તો તેને ભારતથી છૂટું કરવું પડશે."
શરજીલ પોતાને શાહીનબાગના વિરોધપ્રદર્શનના મુખ્ય આયોજક ગણાવતા હતા. તેઓએ બીજી જાન્યુઆરીએ ધરણાં-પ્રદર્શન પરત લેવાનું એલાન કર્યું હતું.
એ સમયે શરજીલે ફેસબુકમાં લખ્યું હતું કે "રાજકીય પાર્ટીઓના ગુંડાઓ દ્વારા હિંસાની આશંકા અને આંદોલનને રાજકારણથી બચાવવા માટે તેઓએ શાહીનબાગનું પ્રદર્શન પાછું ખેંચ્યું છે."
જોકે બાદમાં પણ શાહીનબાગમાં વિરોધપ્રદર્શન ચાલુ રહ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












