ByeBye2017: બોલિવુડની એ હસ્તીઓ જેમણે 2017માં દુનિયાને અલવિદા કહી

બોલિવુડની એ પ્રતિભાઓને શ્રદ્ધાંજલિ જેમણે 2017માં અંતિમ શ્વાસ લીધા.

ઓમ પુરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 6 જાન્યુઆરી 2017ના રોજ બોલિવુડ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે નિધન થયું હતું. ભારત સરકારે તેમને વર્ષ 1990માં પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા હતા.
વિનોદ ખન્ના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 27 એપ્રિલ 2017ના રોજ બોલિવુડ અભિનેતા અને સંસદસભ્ય વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયું હતું. જેઓ ભારત સરકારમાં પર્યટન મંત્રી પણ રહી ચૂક્યા હતા.
રીમા લાગુ

ઇમેજ સ્રોત, HUM SATH SATH HAI FILM

ઇમેજ કૅપ્શન, 17 મે 2017ના રોજ બોલિવુડ અભિનેત્રી રીમા લાગુનું 59 વર્ષની વયે નિધન થયું હતું. જેમણે અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા કરી હતી.
ઇંદર કુમાર

ઇમેજ સ્રોત, InDER KUMAR FAMILY

ઇમેજ કૅપ્શન, 28 જુલાઈ 2017ના રોજ બોલિવુડ અભિનેતા ઇંદર કુમારનું 43 વર્ષની વયે નિધન થયું હતું. જેમણે ફિલ્મો અને ટીવી સીરિઝમાં અભિનય કર્યો હતો.
ટૉમ ઑલ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 29 સપ્ટેમ્બર 2017ના રોજ ઇન્ડો-અમેરિકન અભિનેતા ટૉમ ઑલ્ટરનું 67 વર્ષની વયે નિધન થયું હતું. તેમને ભારત સરકારે વર્ષ 2008માં પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા હતા.
કુંદન શાહ
ઇમેજ કૅપ્શન, 7 ઑક્ટોબર 2017ના રોજ બોલિવુડ ડિરેક્ટર કુંદન શાહનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને ફિલ્મ ‘જાને ભી દો યારો’ અને ટીવી સીરિઝ ‘નુક્કડ’ માટે યાદ કરવામાં આવે છે.
BBC
ઇમેજ કૅપ્શન, 4 ડિસેમ્બર 2017ના રોજ બોલિવુડ અભિનેતા અને ડિરેક્ટર શશી કપૂરનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. જેમને ભારત સરકારે વર્ષ 2011માં પદ્મ ભૂષણ ઍવૉર્ડથી નવાજ્યા હતા. તેમને વર્ષ 2014માં દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.