અગ્નિવીર : સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનોની હતાશાની અસર હરિયાણાની ચૂંટણી પર પડશે?

અગ્નિવીર : સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનોની હતાશાની અસર હરિયાણાની ચૂંટણી પર પડશે?

2022માં કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી. જેના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતીનો પ્રસ્તાવ હતો. પરંતુ, અનિલને આ યોજના માફક ન આવી અને તેના જેવા ઘણા યુવાએ સેનામાં જવાનો ઇરાદો બદલી નાખ્યો.

હરિયાણાના ગામમાં અનિલ જેવા હજારો યુવા છે, જેમની પોતપાતાની કહાની છે અને અલગ અલગ સંઘર્ષ છે.

અગ્નિવીર યોજના શરૂ થાય બાદ હરિયાણામાં પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે.

આ ચૂંટણીમાં એવા ત્રણ મુદ્દા છે, જેના પડઘા બધી દિશાઓમાં સંભળાઈ રહ્યા છે, અને તે છે : ખેડૂત, પહેલવાન અને જવાન.

શું અગ્નિવીર યોજનાની અસર હરિયાણા વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે? શું ભારતીય જનતા પાર્ટીને એનાથી નુકસાન થશે કે વિપક્ષના આ મુદ્દાનો મજબૂત જવાબ ભાજપે શોધી લીધો છે?

આ સમજવા માટે અમે રાજ્યના એવા જિલ્લાની મુલાકાત લીધી, જ્યાંથી મોટી સંખ્યામાં યુવા સેનામાં ભરતી થાય છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.