You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'મારા દીકરાનાં લગ્નની વાત ચાલી રહી હતી...' દીકરો ગુમાવનારાં માતાની વ્યથા
ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર ખાતે થયેલા પ્લેન ક્રૅશમાં વિમાનમાં સવારે 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ પ્લેન અમદાવાદથી લંડન સુધી જવાનું હતું, અને તેમાં સંખ્યાબંધ ભારતીયો અને ભારતીય મૂળના વિદેશી નાગરિકો હતા.
મૃત્યુ થયાના ચોથા દિવસે હવે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી સગાંવહાલાંને તેમના સ્વજનોના મૃતદેહ સોંપાવાની કાર્યવાહી શરૂ થઈ છે.
આ મૃતકો અને તેમના પરિવારજનોની કહાણી હચમચાવી દેનારી છે.
આવી જ એક કહાણી છે આણંદ જિલ્લાના આ પરિવારની પણ છે, જેમણે આ અકસ્માતમાં પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવી દીધો છે.
બોરસદના કસુંબાડ ગામના રણવીરસિંહનું આ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું હતું.
તેમનાં માતાનું કહેવું છે કે તેમના દીકરાનાં લગ્ન માટે તેઓ યોગ્ય પાત્રની શોધ કરી રહ્યાં હતાં.
જુઓ, આ પરિવારની દુ:ખદ કહાણી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન