ઉત્તરાખંડના ધરાલીમાં ભયંકર પૂર બાદ લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે, હવે ત્યાં કેવો માહોલ છે?

ઉત્તરાખંડના ધરાલીમાં ભયંકર પૂર બાદ લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે, હવે ત્યાં કેવો માહોલ છે?

ઉત્તરાખંડમાં ગંગોત્રી જતા રસ્તે ધરાલી નામનું એક નાનું ગામ છે. 5 ઑગસ્ટના રોજ બપોરે અહીં એવી આફત આવી કે થોડીવારમાં જ આ ગામ નકશામાંથી ગાયબ થઈ ગયું.

સ્થાનિક લોકો કહે છે કે ત્યાં વહેતી ખીરગંગા નદીમાં અચાનક આવેલા પૂરમાં પાણીની સાથે કાટમાળ પણ નીચે આવી ગયો અને રસ્તામાં આવતી દરેક વસ્તુને વહાવી દીધી.

હવે અહીં શું પરિસ્થિતિ છે? આફતના દિવસે શું થયું? અને પોતાના પ્રિયજનોને શોધી રહેલા લોકોએ શું કહ્યું? આ ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ.

રિપોર્ટ: આસિફ અલી

સંપાદન: સદફ ખાન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન