ભાવનગરમાં અનાજનું એટીએમ : જ્યાંથી 24 કલાક મળે છે રૅશનિંગનો સામાન

ભાવનગરમાં અનાજનું એટીએમ : જ્યાંથી 24 કલાક મળે છે રૅશનિંગનો સામાન

દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર તરફથી રૅશનની દુકાનો મારફતે જે અનાજ આપવામાં આવે છે તે સુવિધા હવે આધુનિક બની ગઈ છે.

રૅશનકાર્ડ ધારકોને સાતેય દિવસ 24 કલાક કોઈપણ સમયે લાઈનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી રહે તે માટેનું આ આયોજન છે અને એને નામ અપાયું છે અન્નપૂર્તિ એટીએમ સેવા.

ગુજરાતમાં ભાવનગરમાં પહેલીવાર આ અન્નપૂર્તિ એટીએમ શરૂ થયું છે.

અહીં તમે તમારો રૅશનકાર્ડ નંબર દાખલ કરો અને ફિંગરપ્રિન્ટ આપો એટલે તરત જ તમને ઘઉં. ચોખા વગેરે અનાજ મળી જાય છે.

વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.