You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા પુલ તૂટી પડ્યા પછી મોરબી પુલ દુર્ઘટનામાં પરિવારજનો ગુમાવનારા લોકો શું બોલ્યા?
બુધવારે વડોદરામાં ગંભીરા ગામ નજીક મહી નદી પરનો પુલ તૂટી પડતાં કેટલાંય વાહનો અને તેમાં સવાર લોકો નદીમાં ખાબક્યાં હતાં અને ગુરુવાર બપોર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયાં હોવાની સત્તાવાર માહિતી હતી.
આ દુર્ઘટના બાદ મોરબીમાં થયેલી દુર્ઘટનાની વરવી યાદો પણ તાજી થઈ છે. 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતાં માર્યા ગયેલા 135 લોકોના પરિવાર તે દુર્ઘટનાનાં અઢી વર્ષ બાદ પણ ન્યાય માંગી રહ્યો છે.
મૂળપણે 1887માં બનેલો આ પુલ ઑક્ટોબર 2022માં સમારકામ બાદ ખુલ્લા મુકાયાના પાંચમા દિવસે તૂટી પડ્યો હતો.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો તેના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં સરકારે એક એફઆઈઆર નોંધી કથિત રીતે જવાબદાર લોકો સામે ફોજદારી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. પીડિત પરિવારોના કહેવા પ્રમાણે તેમને યોગ્ય આર્થિક વળતર અને ન્યાય હજુ મળ્યા નથી.
જુઓ સંપૂર્ણ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન