You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે ઇસરોના આદિત્ય એલ-1એ સૂર્યમિશન માટે ઉડાન ભરી
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે હવે સૂર્ય અંગેના સંશોધન માટે આદિત્ય એલ-1 લૉન્ચ કરી દીધું છે. ઇસરો શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાથી આદિત્ય L-1 યાન સફળતાપૂર્વક લૉન્ચ કર્યું.
આ અવકાશયાન કુલ સાત સાધનો લઈને સૂર્ય નજીક જશે. જે સૂર્યની આસ પાસ ઈલેક્ટ્રોમેગ્નેટિક અને ન્યૂક્લિઅર ફિલ્ડનો અભ્યાસ કરશે.
સૂર્યને પારખવાનું આ મિશન લૉન્ચ કરાયું છે ત્યારે સૂર્ય અંગે જાણવાની લોકોની ઉત્સુક્તા વધી ગઈ છે. સૂર્ય અંગેના સંશોધનને લઈને ભારત પહેલીવાર મિશન લૉન્ચ કર્યું છે. પણ આ અગાઉ અમેરિકન સ્પેસ ઍજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ ઍજન્સીઓએ બહુ પહેલાં સૂર્યના સંશોધન અંગેના મિશન લૉન્ચ કરી દીધાં છે.
નાસાએ પાર્કર સોલાર પ્રોબ લૉન્ચ કર્યું હતું, જે સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે.