દિલ્હી જેવા વ્યસ્ત શહેરમાં એક દૃષ્ટિહીન વ્યક્તિનું જીવન કેવું હોય છે?
"જે લોકો મને જુએ છે ત્યારે હંમેશા અંધકાર અને એકલતા વિશે જ પૂછે છે.
પણ હું નથી જોઈ શકતો ત્યારે મારા માટે આનો કોઈ અર્થ નથી.
કેમકે હું જન્મથી જ અંધ છું એટલે આ બાબતે કશું વિચારી શકતો નથી.
હું જોઈ શકતો નથી, પણ તમારી નજરે તમે મને સમજાવશો તો હું મારા મનમાં તેનું ચિત્ર ઉભું કરી શકીશ."
ઉપરની વાત કરી છે એક અંધ વ્યક્તિએ.
જરા વિચારો કે જેના જીવનમાં અંધકાર કે એકલતાનો કોઈ અર્થ જ ન હોય તેમનું જીવન કેવું હોય છે?
એવામાં દેશની રાજધાની દિલ્હી જેવા વ્યસ્ત શહેરમાં કોઈ વ્યક્તિ કઈ રીતે દિશા નક્કી કરી શકે એ પણ ત્યારે જ્યારે તમારે કોઈ નકશો નહીં પરંતુ તમારી ચેતના શક્તિનો ઉપયોગ કરવાનો હોય.
આ વાત તમને સમજાશે અંશુલ વર્માના આ વીડિયો અહેવાલમાં....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
