ભરૂચમાં રહેતા પારસીઓના અસ્તિત્વ પર ખતરો કેમ તોળાઈ રહ્યો છે?
એક સમયે ભરૂચ પારસીઓનું શહેર કહેવાતું, ક્યારેક 8000 જેટલી વસતી હતી આજે ગણ્યાગાંઠ્યા પરિવારો જ ભરૂચમાં છે.
પારસીઓની અનેક મિલકત અને મકાનો શહેરમાં ખંડિયેર હાલતમાં પડ્યાં છે.
બીબીસીએ શહેરના કેટલાક પારસીઓ સાથે મુલાકાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શાં કારણોસર ભરૂચમાં તેમની વસતી સતત ઘટી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
