ખેડૂત આંદોલનમાં સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારોની મુલાકાત

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલનમાં સ્વજનોને ગુમાવનારાં પીડિત પરિવારોની મુલાકાત COVER STORY

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય પ્રસ્તાવિત કૃષિકાયદા પરત ખેંચી લેવાતાં ખેડૂતસંગઠનોએ પણ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી.

વિરોધમાં જોડાયેલા અસંખ્ય ખેડૂતો હવે દિલ્હીની સરહદો સહિતનાં આંદોલનનાં સ્થળોએથી ઘરે પરત ફરી રહ્યા છે.

જોકે, પંજાબમાં અનેક પરિવારો એવા છે જેમણે આ ખેડૂત આંદોલનમાં જોડાયેલા તેમના સ્વજનોને ગુમાવ્યા છે, જેઓ ક્યારેય હવે ઘરે પરત ફરવાના નથી.

કાયદાઓની જાહેરાત થાય, વિરોધમાં આંદોલનો થાય, કાયદાઓ પરત ખેચાઈ જાય પણ કેટલીક ખોટ પૂરી નથી શકાતી.

આ જ વિષયને લઈને જુઓ બીબીસીની આ વિશેષ કવર સ્ટોરી.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો