કારગિલ યુદ્ધ : જ્યારે અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનમાં નવાઝ શરીફને મળ્યા
કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે લડવામાં આવેલું કોઈ સામાન્ય યુદ્ધ નહોતું.
જ્યારે આ યુદ્ધ લડવામાં આવ્યું, તેની પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિવાર્તા ચાલી રહી હતી.
પરંતુ તે દરમિયાન જ્યારે કારગિલના પહાડો પરથી ઘુસણખોરીના સમાચાર આવ્યા તો શાંતિની વાતો બંદૂક અને બૉમ્બના અવાજમાં દફન થઈ ગઈ.
આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું દબાણ હતું? આખરે કયા કારણોસર પાકિસ્તાને કારગિલ પરથી પોતાની સેના હઠાવવી પડી હતી?
આ સવાલોનો જવાબ મેળવવા જુઓ પાકિસ્તાનથી બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીનો રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો