ઊનામાં રામનવમીના દિવસે નફરતી ભાષણના કેસમાં ‘કાજલ હિંદુસ્તાની’ સામે ગુનો દાખલ

રામનવમીના દિવસે ગુજરાતમાં ઉના અને વડોદરામાં પથ્થરમારો થવાની ઘટનાઓ બની હતી.

લાઇવ કવરેજ

  1. કિરણ પટેલને લઈને ગુજરાત પોલીસ કાશ્મીરથી રવાના, આજે અમદાવાદ લવાશે

    કિરણ પટેલ

    ઇમેજ સ્રોત, @BANSIJPATEL/ TWITTER

    કાશ્મીરમાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ઉચ્ચ અધિકારી તરીકેની બનાવટી ઓળખ આપીને સરકારી સુવિધાઓનો લાભ લેનારા કિરણ પટેલ સામે અમદાવાદમાં છેતરપિંડીનો કેસ દાખલ છે. અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ વિભાગની ટીમ શ્રીનગરથી કિરણ પટેલને લઈને રવાના થઈ ગઈ હતી.

    ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ પ્રમાણે પોલીસ કિરણ પટેલને લઈને સોમવારે સાંજે અમદાવાદ પહોંચી શકે છે. કિરણ પટેલને રોડ માર્ગે લવાય રહ્યા છે.

    ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ચૈતન્ય માંડલિકે કહ્યું, ‘રવિવારે સવાર પછી પોલીસની ટીમ ગુજરાત આવવા રવાના થઈ ગઈ હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ કરી રવાના થઈ હતી. 36 કલાકમાં તેઓ પહોંચી શકે છે.’

    પીએમઓના અધિકારી તરીકે બનાવટી ઓળખ સાથે સરકારી સવલતો મેળવવાના કેસમાં કિરણ પટેલની જમ્મુ કાશ્મીરમાં જ્યુડિશિયલ કસ્ટડી 31 માર્ચે સમાપ્ત થઈ હતી. આ કેસ બાદ ગુજરાત પોલીસે કિરણ પટેલનો કબજો મેળવવા માટે ટ્રાન્સફર વોરન્ટ માટેની અરજી કરી હતી. એટલે હવે તેમને લઈને પોલીસ અમદાવાદ આવી રહી છે.

    કિરણ પટેલ સામે ગુજરાતમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં બંગલાના સમારકામ પેટે તેમની સાથે કથિતરૂપે 15 કરોડની છેતરપિંડીની ફરિયાદ છે.

    તેમાં કિરણ પટેલનાં પત્ની માલિની સામે પણ ફરિયાદ છે. અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેણાંક મિલકત વિશેનો આ કેસ છે. જેમાં વર્ષ 2022માં છેતરપિંડી થઈ હોવાની વાત છે.

  2. ગીર સોમનાથનું એ ગામ જેણે ત્યાંની મહિલાઓએ વિદેશ જેવું બનાવી દીધું

  3. ઊનામાં રામનવમીના દિવસે નફરતી ભાષણના કેસમાં ‘કાજલ હિંદુસ્તાની’ સામે ગુનો દાખલ, અન્ય 75ની અટકાયત

    વડોદરામાં પોલીસ બંદોબસ્ત સમયેની તસવીર

    ઇમેજ સ્રોત, ANI

    ગુજરાતના ઊનામાં કથિત નફરતી ભાષણ અને રામનવમીના દિવસેયાત્રાના દિવસ પછી થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસે ગઈકાલે એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અને 75 લોકોની અટકાયત કરી હતી.

    'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગીર-સોમનાથના સુપ્રિટેન્ડન્ટ ઇન્ચાર્જ શ્રીપાલ શેસ્માએ કહ્યું, “ઊના પોલીસ સ્ટેશનમાં કાજલ હિંદુસ્તાની સામે બે ફરિયાદ દાખલ કરાઈ છે. જેણે કથિતરૂપે રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ કર્યાં હતા અને બે જૂથ વચ્ચો અથડામણ થઈ તેમાં કથિત સંડોવણી ધરવનારાઓની પણ અટકાયત કરાઈ છે. કાજલ હિંદુસ્તાની તેમના ઘરે નથી મળી શક્યા એટલે તેમની અટકાયત હજુ નથી થઈ શકી.”

    ઊના પોલીસે કહ્યું કે, કાજલ શિંઘાળા ઉર્ફે કાજલ હિંદુસ્તાનીના ભડકાઉ ભાષણથી ઉશ્કેરાઇને રામનવમીની યાત્રા પછી એક જાહેર બેઠક થઈ હતી. પછી ઊનાના કુંભારવાડામાં બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી.

    કાજલ હિંદુસ્તાની પોતાને એક સામાજિક કાર્યકર્તા ગણાવે છે. અને પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી આરંભી છે.

    વડોદરામાં નફરતી ભાષણના બનાવટી વીડિયો વાઇરલ કરનારાની ધરપકડ થવાની સાથે એક અલગ કેસમાં વિહિપના કાર્યકર્તાની પણ ધરપકડ કરવામાં આવી છે.

    'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર વડોદરા પોલીસની એસઆઈટી (વિશેષ તપાસ ટીમ) રવિવારે એક વ્યક્તિની બનાવટી વીડિયો ફરતા કરવાના કેસમાં ધરપકડ કરી હતી.

    પોલીસે જણાવ્યું કે વ્યક્તિ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓના ભાષણો અને સોશિયલ મીડિયા પર રહેલી અન્ય રમખાણોની ક્લિપોના ફૂટેજ સાથે છેડછાડ કરી તેને ફરતી કરી હતી. રામનવમીની યાત્રા પછી થયેલી પથ્થરમારાની ઘટના બાદ વીડિયો ફરતા કરવામાં આવી રહ્યા હતા.

    એટલું જ નહીં પણ એક અન્ય કેસમાં જેમાં પણ પથ્થરમારાની ઘટના પછી ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કારેલીબાગમાં થયેલી પોલીસ ફરિયાદમાં વિહિપના એક કાર્યકર્તાની ધરપકડ થઈ છે.

    ઇરફાન મોહમ્મદ વોરાની બનાવટી વીડિયોનકેસમાં ધરપકડ થઈ છે. અને ભડકાઉ ભાષણના કેસમાં રોહન શાહ તથા ઋષિ વાલિયાની ધરપકડ કરાઈ છે.

  4. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    2 એપ્રિલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.