ઍર ઇંડિયાએ 250 વિમાનો ખરીદવાનો સોદો કર્યો

14 ફેબ્રુઆરી 2019ના કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોની બસ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

લાઇવ કવરેજ

  1. ઍર ઇંડિયાએ 250 વિમાનો ખરીદવાનો સોદો કર્યો

    modi

    ઇમેજ સ્રોત, PMO

    ઍર ઇંડિયાએ વિમાનોનું નિર્માણ કરતી યુરોપની કંપની ઍરબસ પાસેથી 250 નવાં વિમાન ખરીદવાની જાહેરાત કરી છે.

    ઍર ઇંડિયાને ટાટા સમૂહે ખરીદી લીધી હતી. ટાટા સમૂહના જણાવ્યા અનુસાર આ સોદામાં પાતળા અને પહોળી બૉડી ધરાવતાં વિમાન ખરીદવામાં આવશે.

    ઍર ઇંડિયાનું કહેવું છે કે એ વિમાનોની એવી કાફલો તૈયાર કરવા માગે છે જે ટૂંકા અને લાંબા એમ દરેક પ્રકારના રૂટ પર ઊડી શકે.

    એમ મનાય છે કે ઍર ઇંડિયા ઍરબસની હરીફ વિમાન નિર્માતા કંપની બોઈંગને પણ 220 વિમાનોનો ઑર્ડર આપી શકે છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ઍર ઇંડિયાની આ ખરીદ વિમાન ઉદ્યોગના ઇતિહાસમાં વાણિજ્યિક વિમાનોની સૌથી મોટી ખરીદ હશે.

    ઍર ઇંડિયા દુનિયાની મોટી ઍરલાઇન કંપની બનવાનો ઇરાદો રાખે છે.

    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક વર્ચ્યુઅલ મુલાકાતમાં આ સોદાની જાહેરાત કરી.

    બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ આ સોદાનું સ્વાગત કર્યું છે. ઍરબસ પોતાના વિમાનોની પાંખની ડિઝાઇન અને ઉત્પાદન બ્રિટનમાં જ કરે છે.

  2. ગૌતમ અદાણી, 2024 ચૂંટણી પર અમિત શાહ શું બોલ્યા?

    ગૌતમ અદાણી, 2024 ચૂંટણી પર અમિત શાહ શું બોલ્યા?

    ઇમેજ સ્રોત, ANI

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું.

    અમિત શાહે રાહુલ ગાંધીની હાલની ટિપ્પણી, અદાણી-હિંડનબર્ગ વિવાદ, 2024 ચૂંટણી જેવા અનેક મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કર્યો.

    અમિત શાહે કેન્દ્રીય એજન્સીઓના ગેરવાજબી ઉપયોગના આરોપ પર તેમણે કહ્યું કે, "વિપક્ષ અદાલત કેમ નથી જતો? જ્યારે પેગાસસનો મામલો આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે અદાલત જાઓ, પણ તેઓ ન ગયા. એ લોકો માત્ર હંગામો કરે છે. કોર્ટ તો અમારા કબજામાં નથી."

    ગૌતમ અદાણી અને ભાજપના નજીક હોવાના આરોપ પર તેમણે કહ્યું કે, "અત્યારે સુપ્રીમ કોર્ટે જે કેસ ધ્યાનમાં લીધો હોય, એ મામલે બોલવું યોગ્ય નથી. પરંતુ આમાં ભાજપે કંઈ છુપાવવાનું છે નહીં અને કોઈ વાત પર ડરવાની પણ જરૂર નથી."

    આવતા વર્ષ 2024માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

    આની પર અમિત શાહે કહ્યું કે, "2024માં કોઈ પ્રતિસ્પર્ધા નથી. દેશ એક તરફ મોદીજીની સાથે આગળ વધી રહ્યો છે. દેશની જનતા નક્કી કરશે કે કોણ મુખ્ય વિપક્ષ હશે.

    હાલમાં દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃતઉદ્યાન કરવામાં આવ્યું હતું. ગત વર્ષોમાં મુગલ શાસકો પર ભાજપ નેતાઓનાં ઘણાં નિવેદનો આવ્યાં છે.

    અમિત શાહે આ અંગે કહ્યું કે, "મુગલોનાં યોગદાનને હઠાવવું ન જોઈએ. ન અમે હઠાવવા માગીએ છીએ. પરંતુ જો કોઈ આ દેશની પરંપરાને સ્થાપિત કરવા માગે છે તો આમાં શું ખોટું છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અમિત શાહે ઇન્ટરવ્યુમાં બીજું શું- શું કહ્યું?

    • પીએફઆઈએ સમગ્ર દેશમાં પોતાના કામનો વિસ્તાર શરૂ કર્યો હતો. એજન્સીઓ તરફથી પણ માહિતી હતી. એટલે અમે પીએએફઆઈ પર પ્રતિબંધ લાદ્યો.
    • જો પ્રોડક્ટ સારી છે તો તેનું વાજતે ગાજતે માર્કેટિંગ કરવું જોઈએ. પીએમ મોદીનું કામ દેશ અને દુનિયાની સામે ગૌરવ સાથે પ્રસ્તુત કરવું જોઈએ. આ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે.
    • એક પણ શહેર એવું નથી જેનું જૂનું નામ ન હોય અને બદલ્યું છે. આની પર બહુ સમજી વિચારીને અમે સરકારોએ નિર્ણય લીધા છે અને દર સરકારનો આ બંધારણીય અધિકાર છે.
    • બિહાર અને ઝારખંડમાં નક્સલ ઉગ્રવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે. મને વિશ્વાસ છે કે છત્તીસગઢમાં પણ કેટલાક સમયમાં શાંતિ સ્થાપિત કરવામાં અમે સફળ થશું.
    • જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદ સાથે સંબંધિત બધી પ્રકારના આંકડા સૌથી સારી સ્થિતિમાં છે. પીએમ મોદીએ ઉત્તર-પૂર્વ અને ભારતના બાકીના ભાગોમાં જે મનની દૂરી હતી તેને સમાપ્ત કરી છે.
    • આજે ઉત્તર પૂર્વના લોકોને લાગે છે કે તેઓ દેશના બાકીના ભાગોમાં અમારું સન્માન છે. બાકી રાજ્યોથી લોકો ઉત્તર પૂર્વમાં જાય છે તો તેઓ તેમનું પણ સન્માન કરે છે.
  3. પુલવામા હુમલાની વરસી પર વડા પ્રધાન મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

    પુલવામા હુમલાની આજે એટલે કે મંગળવારે ચોથી વરસી છે.

    14 ફેબ્રુઆરી 2019ના કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોની બસ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

    પુલવામા હુમલાની વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ''પુલવામામાં 14 ફેબ્રુઆરીના પોતાનો જીવ ગુમાવનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ. અમે જવાનોના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ. તે જવાનોનો સાહસ અમને મજબૂત અને વિકસિત ભારત બનવાની પ્રેરણા આપે છે.''

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ''પુલવામા આતંકવાદી હુમલાના વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના સર્વોચ્ચ બલિદાનને ભારત હંમેશાં યાદ કરશે.''

    ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પુલવામા હુમલાની જગ્યાએ પણ ગયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં તે વખતે પોતાની તસવીર પણ પોસ્ટ કરી હતી.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    પુલવામા હુમલા પછી ભારતે બાલાકોટમાં સ્ટ્રાઇક કરી હતી અને બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.

  4. ન્યૂઝીલૅન્ડમાં ઈમરજન્સી લાદવામાં આવી, તોફાને મચાવી આવી તબાહી

    તોફાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ચક્રવાત ગેબ્રિયલને કારણે ન્યૂઝીલૅન્ડમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

    દેશના ઈતિહાસમાં આ ત્રીજી વખત ઈમરજન્સી લાદવામાં આવી છે.

    ન્યૂઝીલૅન્ડના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટમંત્રી કિએરન મૅકએનલ્ટીએ આ અંગે આદેશ જારી કરી દીધા છે.

    નૉર્થલૅન્ડ, ઑકલૅન્ડ, વાઈકાટો જેવા વિસ્તારોમાં આ ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

    મંગળવારે સવારે પણ લગભગ 38 હજાર ઘરોમાંથી વીજળી ગુલ રહી હતી.

    તોફાનને કારણે ઑકલૅન્ડમાં ઓછામાં ઓછા 50 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આ મકાનો 30 મીટરના ટાવરની નજીક હતા, તેના તુટી જવાના ભયને જોતા લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

    ન્યૂઝીલૅન્ડની સરકારે તોફાનને કારણે 73 લાખ ડૉલરના રાહત પેકેજની જાહેરાત કરી છે.

    જુઓ તોફાનની તસવીરો

    તોફાન

    ઇમેજ સ્રોત, Getty Images

    તોફાન

    ઇમેજ સ્રોત, Getty Images

    તોફાન

    ઇમેજ સ્રોત, Getty Images

    તોફાન

    ઇમેજ સ્રોત, Getty Images

  5. નહેરુ-ગાંધી અટક પર પીએમ મોદીની ટિપ્પણી પર રાહુલ ગાંધીએ આ જવાબ આપ્યો

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    પીએમ નરેન્દ્ર મોદીએ સંસદમાં ગાંધી પરિવારની નહેરુ અટકનો ઉપયોગ ન કરવા પર સવાલ ઉઠાવ્યા હતા.

    પીએમ મોદીએ કહ્યું હતું કે, "જો કોઈ કાર્યક્રમમાં નેહરુનું નામ કાઢી નાખવામાં આવે તો કેટલાક લોકોનું લોહી ગરમ થઈ જાય છે. અમારાથી નહેરુજીનું નામ ચૂકી જવાતું હશે. અમે તેને સુધારી પણ લઈશું, કારણ કે તેઓ દેશના પહેલા વડા પ્રધાન હતા. પણ મને એ સમજાતું નથી કે તેમની પેઢીની વ્યક્તિ નહેરુ અટક રાખવાથી કેમ ડરે છે. નહેરુ અટક રાખવામાં શરમ શું આવે છે?"

    પીએમ મોદીના આ નિવેદન બાદ ભાજપ-કૉંગ્રેસ સામસામે આવી ગયા હતા. આ અંગે બંને પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી હતી.

    હવે પીએમ મોદીએ જે કહ્યું તેના પર રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

    રાહુલ ગાંધીએ કહ્યું, “નિયમો અનુસાર, જો તમે કોઈ પુરાવા વિના કંઈક બોલો અથવા કોઈનું અપમાન કરો તો ભાષણના ભાગોને રેકૉર્ડમાંથી હટાવી શકાય છે. મેં જે કહ્યું, મેં શાલીનતા અને પુરાવાના આધારે કહ્યું. મને પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે મેં સ્પીકરને પુરાવા સાથે જવાબ પણ લખ્યો છે. પરંતુ મને એવી આશા નથી કે તેઓ મારા શબ્દોને રેકૉર્ડમાં રાખશે."

    મોદી

    ઇમેજ સ્રોત, Getty Images

    રાહુલ ગાંધીએ કહ્યું, "સાથે વડા પ્રધાન સીધું મારું અપમાન કરે છે. તેઓ કહે છે કે તમારું નામ ગાંધી કેમ છે, નહેરુ કેમ નથી. તો દેશના વડા પ્રધાન સીધું મારું અપમાન કરે છે, પરંતુ સંસદના રેકૉર્ડમાંથી તેમના શબ્દો હટાવવામાં આવતા નથી. પરંતુ આ બધાથી કોઈ ફરક પડતો નથી કારણ કે સત્ય હંમેશા બહાર આવી જ જાય છે."

    રાહુલ ગાંધી કેરળના પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં બોલી રહ્યા હતા.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, "તમારે બસ એટલું જ કરવાનું છે કે જ્યારે હું બોલતો હતો ત્યારે મારો ચહેરો જુઓ અને જ્યારે પીએમ બોલતા હતા ત્યારે તેમનો ચહેરો જુઓ. તમે જોશો કે ભાષણ કરતી વખતે તેઓ કેટલીવાર પાણી પીતા હતા અને જ્યારે પણ તે પાણી પીતા હતા ત્યારે તેમના હાથ કેવા ધ્રૂજતા હતા. તેઓ એ નથી સમજી રહ્યા કે નરેન્દ્ર મોદી એ છેલ્લી વ્યક્તિ હશે જેનાથી હું ડરીશ."

    રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના સંબંધો પર સંસદમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નો અને ભાષણનો આ ભાગ સંસદના રેકૉર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.

    આ સાથે લોકસભા સચિવાલય તરફથી રાહુલ ગાંધીને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

  6. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    13 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.