વિરાટ કોહલીએ શ્રીલંકા સામે શાનદાર સદી ફટકાર્યા બાદ ખોરાકને લઈને શું વાત કરી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગૌહાટીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મૅચમાં શાનદાર શતક ફટકારનારા ભારતીય બૅટર વિરાટ કોહલીએ ક્રિકેટની રમતમાં ભાગ્ય મહત્ત્વનો ભાગ ભજવતું હોવાની વાત કરી.
સદી ફટકાર્યા બાદ કોહલીએ કહ્યું, "ભાગ્ય મોટો ભાગ ભજવે છે. આવી ઇનિંગો માટે તમારે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો પડે. આવી ઇનિંગો મહત્ત્વની હોય છે.મોટા ભાગના સદ્ભાગ્યનો હું ફાયદો ઉઠાવી શક્યો એ બદલ હું આભારી છું.મેં ટીમને 350 કરતાં વધારાના 20 રન અપાવવામાં મદદ કરી. એ પણ આ જ રીતે થયું."
આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તિ સાથે રમાયેલી સફળ ઇનિંગનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે 34 વર્ષના કોહલીએ ડાયટના મહત્ત્વની વાત કરી.
વિરાટે કહ્યું "મેં એક વિરામ લીધો હતો અને આ રમત રમવા માટે કેટલાંક પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો.એટલે બાંગ્લાદેશના પ્રવાસ બાદ હું તાજોમાજો હતો અને ઘરે રમવા માટે ઉત્સુક હતો.ઑપનરોએ મારી રમત મને રમવા દેવામાં મદદ કરી અને એને હું ચાલુ રાખી શક્યો એ બદલ ખુશ છું.હું જે પણ ખાઉં એને લઈને જાગૃત હોઉં છું. આ ઉમરે ખોરાક સૌથી મહત્ત્વની બાબત હોય છે. એ મને 'પ્રાઇમ શૅપ'માં રાખે છે. મને ટીમને 100 ટકા આપવવામાં એ મારી મદદ કરે છે."







