ભાજપમાંથી પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ચૂંટણી લડવા ઊતરેલા એક ડઝન નેતાઓ સસ્પેન્ડ

મધુ શ્રીવાસ્તવ સહિત 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લાઇવ કવરેજ

  1. ભાજપમાંથી પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ચૂંટણી લડવા ઊતરેલા એક ડઝન નેતાઓ સસ્પેન્ડ

    મધુ શ્રીવાસ્તવ

    ઇમેજ સ્રોત, MADHU SHRIVASTAVA/FB

    ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કાની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

    તેમાં વડોદરાના વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ, પાદરાથી દિનભાઈ પટેલ તથા સાવલીથી કુલદીપસિંહ ઉદેસિંહ રાઉલ સામેલ છે.

    આણંદના ખંભાતથી અમરશીભાઈ ઝાલા અને ઉમરેઠથી રમેશભાઈ ઝાલાને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    મુધ શ્રીવાસ્તવ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયાથી પાર્ટીએ અશ્વિનભાઈ નટવરભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

    વડોદરાની વાઘોડિયા બેઠકથી ભાજપના ‘વિવાદિત’ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દીધું હતું.

    બનાસકાંઠાના ધાનેરામાંથી માવજી દેસાઈ અને ડીસાથી લેબજી ઠાકોરને પણ પક્ષમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    ડીસાથી પ્રવીણભાઈ માળીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.

    મહિસાગરના લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી નોંધવવા બદલ પાર્ટીએ જે.પી.પટેલ અને એસ.એમ.ખાંટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  2. ભારત - ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મૅચ ટાઈ કેમ થઈ? સુપર ઑવર કેમ ન ફેંકાઈ?

    મૅચ

    ઇમેજ સ્રોત, ANI

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મૅચ મંગળવારે વરસાદને કારણે ટાઈ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-0થી જીતી લીધી છે પરંતુ મૅચને ટાઈ જાહેર કરતાં ક્રિકેટચાહકોના મનમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે.

    અત્યાર સુધી મોટા ભાગે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અથવા આઈસીસીટૂર્નામેન્ટની પ્લેઑફ મૅચોમાં જ થતો જોવા મળ્યો છે. પરંતુ નેપિયરમાં રમાયેલી ત્રીજી ટી-20 મૅચમાં આમ ન થયું. સુપર ઓવર પણ નહોતી નખાઈ.

    આ મૂંઝવણને દૂર કરવા આઈસીસીના નવા નિયમોને સમજવા જરૂરી છે.

    આ મૅચમાં ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે ભારતની બેટિંગ ચાલી રહી હતી. નિયમ પ્રમાણે ઇનિંગ ચાલી રહી હોય ત્યારે ટાર્ગેટને વધેલી ઓવર, વિકેટને આધારે નવેસરથી નક્કી કરવામાં આવે છે. નવા ટાર્ગેટમાં બરાબરીનો સ્કોર અને ટાર્ગેટ સ્કોર નક્કી કરવામાં આવે છે.

    બરાબરીનો સ્કોર બીજી ઇનિંગ શરૂ થતાં પહેલાં જ નક્કી થાય છે, જ્યારે ટાર્ગેટ સ્કોર વરસાદના કારણે મૅચ ખોરંભે ચડે તો તે પછી નક્કી થયો હતો.

    બરાબરીના સ્કોર માટે અમુક ઓવર અને સ્કોર સુધી પહોંચવું જરૂરી છે. જે ભારતની ઇનિંગમાં થયું હતું અને મૅચ ટાઈ થઈ.ટી-20 ઈન્ટરનેશનલમાં મૅચ ટાઈ થતાં સુપર ઓવરની જોગવાઈ પણ છે પરંતુ ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચમાં સુપર ઓવર સંભવ નહોતી, કેમ કે વરસાદ હતો અને મેદાન પણ ભીનું હતું.

    નોંધનીય છે કે ન્યૂઝીલૅન્ડે પ્રથમ બેટિંગ કરીને ભારત સામે 161 રનનો સ્કોર રાખ્યો હતો.એક સમયે એવું પણ લાગી રહ્યું હતું કે ન્યૂઝીલૅન્ડનો સ્કોર 200 રનને પાર કરી લેશે. જોકે, અર્શદીપ અને સિરાજે ચાર-ચાર વિકેટ લઈને ન્યૂઝીલૅન્ડને 160 રને જ અટકાવી દીધું હતું.

    ટીમ ઇન્ડિયા જ્યારે બેટિંગ કરવા માટે ઊતરી ત્યારે એની શરૂઆત નબળી રહી હતી. ઇશાન કિશન, ઋષભ પંત સસ્તામાં આઉટ થઈ ગયા હતા.શ્રેયસ અય્યર પહેલા બૉલ પર જ આઉટ થઈ ગયા હતા.એ બાદ સૂર્યકુમાર પણ કંઈ કમાલ નહોતા કરી શક્યા. એવામાં ટીમ ઇન્ડિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર માત્ર 60 જ થયો હતો.

    એ બાદ હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાએ સ્કોર 75 રન સુધી પહોંચાડ્યો હતો અને એવામાં જ વરસાદ પડ્યો હતો.

  3. રીવાબાએ તેમનાં નણંદ નયનાબાના આરોપોનો શો જવાબ આપ્યો?

    રીવાબા જાડેજા

    ઇમેજ સ્રોત, @Rivaba4BJP/twitter

    જામનગર (ઉત્તર)માં ભાજપનાં ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાએ ઉમેદવારીપત્રકમાં પોતાના નામ સાથે તેમના પતિ રવીન્દ્ર જાડેજાનું નામ નથી લખાવ્યું એવો આરોપ તેમનાં નણંદ નયનાબાએ લગાવ્યો હતો.

    હવે રીવાબાએ આ આરોપનો જવાબ આપ્યો છે.

    પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ જણાવ્યું છે, "આ મુદ્દો મારાં નણંદ દ્વારા નહીં કૉંગ્રેસ પાર્ટીના આગેવાન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કૉંગ્રેસ છેલ્લાં 27 વર્ષથી સત્તાવિહોણી છે અને એની પાસે કોઈ મુદ્દો નથી, વિકાસની કોઈ વાતો નથી એટલે અર્થ વગરના મુદ્દા ઉછાળી રહી છે. "

    "મારું ઉમેદવારીપત્રક રદ નથી થયું, જેનો સીધો અર્થ એ છે કે હું ચૂંટણી લડવા માટે લાયક છું.એમની પાસે મુદ્દો નથી, વિકાસની વાતો નથી, ઍજેન્ડા નથી એટલે ટેકનિકલ કારણોસર જે વસ્તુમાં ફેરબદલ કરી શકાઈ નથી એ બાબતને એ મોટો મુદ્દો બનાવે છે. "

    નોંધનીય છે કે આ પહેલાં મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબા અંગે વાત કરતાં નયનાબાએ જણાવ્યું હતું,"એમનો ક્રમ નંબર ત્રણ છે અને એમાં એમણે રીવા હરદેવસિંહ સોલંકી જ પોતાનું ઉપનામ રાખ્યું છે અને રવીન્દ્રસિંહને કૌંસમાં રાખ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે છ વર્ષમાં શું એમને અટક બદલવાનો સમય નથી મળ્યો? કે પછી એમણે રવીન્દ્રના નામે માત્ર પબ્લિસિટી જ મેળવવી છે, એમના નામની એમને જરૂર નથી?"

  4. ફિફા વર્લ્ડકપ : સાઉદી અરેબિયાએ સૌને ચોંકાવ્યા, આર્જેન્ટિનાને હરાવ્યું

    લિયોનેસ મેસી

    ઇમેજ સ્રોત, Getty Images

    ફિફા વર્લ્ડકપના ત્રીજા દિવસે મંગળવારે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને હરાવી દીધું.

    મૅચમાં લિયોનેસ મૅસીએ 10મી મિનિટમાં આર્જેન્ટિનાને સામે લીડ અપાવી.તેમણે સાઉદી અરેબિયા વિરુદ્ધ પૅનલ્ટી ગોલ ફટકાર્યો. આ ગોલ સાથે જ આર્જેન્ટિનાની ટીમ મૅચમાં 1-0થી આગળ થઈ ગઈ.

    આર્જેન્ટિના માટે બીજો ગોલ લોટારો માર્ટિનેઝે કર્યો, જોકે રેફરીએ એને રદબાતલ ગણાવ્યો.

    સાઉદી અરેબિયાએ 48 મિનિટમાં મૅચનો પ્રથમ ગોલ કર્યો. સાઉદી અરેબિયા માટે સાલેહ અલશેહરીએ ગોલ ફટકાર્યો.

    53મી મિનિટમાં સાઉદી અરેબિયા માટે સાલેમ અલડસારીએ બીજો ગોલ કર્યો.

  5. 'એક તરફ બાળકોનું ભરણપોષણ, બીજી તરફ જમીન માટે લડવાનું', ગુજરાતનાં ગામોમાં આદિવાસીઓ સંઘર્ષની કહાણી

  6. 'રવીન્દ્રના નામની જરૂર નથી?' રીવાબાનાં નણંદે તેમના પર કેવા આરોપ લગાવ્યા?

    નયનાબા

    ઇમેજ સ્રોત, Darshan takar

    ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા જામનગરમાં કૉંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં છે.

    નયનાબા તેમનાં ભાભી રીવાબા જાડેજાની સામે પ્રચારમાં ઊતર્યાં છે, જેમને ભાજપે જામનગર(ઉત્તર)માંથી ટિકિટ આપી છે.

    મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબા અંગે વાત કરતાં નયનાબાએ જણાવ્યું હતું,"એમનો ક્રમ નંબર ત્રણ છે અને એમાં એમણે રીવા હરદેવસિંહ સોલંકી જ પોતાનું ઉપનામ રાખ્યું છે અને રવીન્દ્રસિંહને કૌંસમાં રાખ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે છ વર્ષમાં શું એમને અટક બદલવાનો સમય નથી મળ્યો? કે પછી એમણે રવીન્દ્રના નામે માત્ર પબ્લિસિટી જ મેળવવી છે, એમના નામની એમને જરૂર નથી?"

    જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા ચૂંટણીમેદાનમાં છે. આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી છે.

  7. બ્રેકિંગ, ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી મૅચ ટાઈ,ટીમ ઇન્ડિયાનો સિરીઝ પર કબજો

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટી20 મૅચ ટાઈ થઈ ગઈ છે.વરસાદને લીધે મૅચ પ્રભાવિત થઈ અને છેલ્લે ડકવર્થ લુઈસ અંતર્ગત નિર્ણય લેવાયો.ટીમ ઇન્ડિયાએ ત્રણ મૅચોની આ સિરીઝને 1-0થી પોતાના નામે કરી લીધી છે.ત્રણ મૅચોની સિરીઝની પ્રથમ મૅચ પણ વરસાદને લીધે રદ કરવી પડી હતી.

    આ પહેલાં વરસાદને લીધે જ્યારે મૅચ અટકાવી દેવી પડી ત્યારે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ભારતે 75 રન કર્યા હતા.જ્યારે ન્યૂઝીલૅન્ડ જીતવા માટે ભારતને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

  8. ગુજરાતમાં એક વ્યક્તિને ગાય રસ્તા પર ખુલ્લી છોડવા પર છ મહિનાની જેલ

    ગુજરાતની કોર્ટે પ્રકાશ જયરામ દેસાઈ નામની વ્યક્તિને પોતાની ગાયને રસ્તામાં ખુલ્લી છોડવા પર છ મહિનાની સજા સંભળાવી છે.

    ગુજરાત એ તમામ ભારતીય રાજ્યોમાંથી એક છે, જ્યાં ગાયની હત્યા કરવો ગુનો ગણાય છે.

    ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા પણ છે.

    કોર્ટે કહ્યું કે આ સજા એટલા માટે અપાઈ રહી છે કે આ પ્રકારના કેસ ઘણા વધી ગયા છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, કોર્ટે કહ્યું કે પશુમાલિકો તરફથી પશુઓને રસ્તા પર ખુલ્લા છોડી દેવાને કારણે લોકોનાં મોત પણ થયાં છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

    વર્ષ 2017માં ગુજરાત સરકારે ગાયની રક્ષા માટે બનાવેલા કાયદાને કડક કરતા ગૌહત્યા પર આજીવન કેદની સજાની જોગવાઈ કરી છે.

    ગુજરાતમાં પશુઓને કારણે દુર્ઘટનાના સમાચાર પણ જોવા મળે છે.

    ગાય

    ઇમેજ સ્રોત, Getty Images

  9. ન્યૂઝીલૅન્ડે જીત માટે ભારતને 161 રનનો ટાર્ગેટ આપ્યો

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડે જીત માટે ભારતને 161 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ન્યૂઝીલૅન્ડ તરફથી ડીવન કૉન્વેએ સૌથી વધુ 59 રન કર્યા હતા. તેમજ ગ્લેન ફિલિપ્સે પણ 54 રન કર્યા હતા.

    ભારત તરફથી બૉલિંગમાં અર્શદીપસિંહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી.

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચની સિરીઝની આ ત્રીજી મૅચ છે, જેમાં ભારત 1-0થી આગળ ચાલી રહ્યું છે.

    ભારત-ન્યૂઝીલૅન્ડ

    ઇમેજ સ્રોત, ANI

  10. પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?

  11. શ્રદ્ધા વાલકર મર્ડર કેસ : 'ગુસ્સામાં હત્યા કરી', આફતાબે કોર્ટમાં સ્વીકાર્યું

    શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં સોમવારે મુખ્ય આરોપી આફતાબ પુનાવાલાને દિલ્હીની સાકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેણે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા 'ગુસ્સા'માં કરી હોવાની કબૂલાત કરી.

    આફતાબે કબુલ્યું,"મેં જે પણ કર્યું એ ભૂલથી કર્યું. ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી નાખી."

    28 વર્ષના આફતાબે એવું પણ જણાવ્યું કે તેના વિરુદ્ધ જે પણ વાતો ફેલાવાઈ રહી છે એ સંપૂર્ણપણે સાચી નથી અને તે તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છે.

    કોર્ટમાં આફતાબે કહ્યું, "હું તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છું.મેં એ જગ્યા પોલીસને બતાવી દીધી છે, જ્યાં મૃતદેહના ટુકડા ફેંક્યા હતા."

    સાકેત કોર્ટે આફતાબ પુનાવાલાની પોલીસ કસ્ટડી ચાર દિવસ વધારી દીધી છે અને આ પહેલાં તે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં હતો.

    આ દરમિયાન મીડિયા અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે શ્રદ્ધાને મારવામાં ઉપયોગમાં લેવાયેલી આરી અને બ્લેડ ગુરુગ્રામના ડીએલએપ ફેઝની ઝાડીમાં ફેકવામાં આવી હતી.

    ગત શુક્રવારે દિલ્હી પોલીસ મેટલ ડિટેક્ટર સાથે ગુરુગ્રામ પહોંચી હતી પણ એને કોઈ પુરાવા કે ગુનો આચરતી વખતે વપરાયેલું હથિયાર નહોતાં મળ્યાં.

    શ્રદ્ધા હત્યા કેસ

    ઇમેજ સ્રોત, ANI

  12. ગુજરાત ચૂંટણી : 'કોળી સમાજમાંથી હજુ સુધી કોઈ મુખ્ય મંત્રી કેમ નથી', પરસોત્તમ સોલંકી શું બોલ્યા?

  13. ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : ન્યૂઝીલૅન્ડે ટૉસ જીત્યો,ટીમ ઇન્ડિયામાં કયો ફેરફાર કરાયો?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રીજી ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

    બન્ને દેશો વચ્ચે ત્રણ મૅચોની સિરીઝની આ ત્રીજી મૅચ છે, જેમાં ભારત 1-0થી આગળ ચાલી રહ્યું છે.

    ટીમ ઇન્ડિયાએ મૅચમાં ઊતરતાં પહેલાં એક ફેરફાર કર્યો છે. હાર્દિક પંડ્યાની કૅપ્ટનસીવાળી આ ટીમમાં સુંદર વૉશિંગ્ટનની જગ્યાએ હર્ષલ પટેલને સ્થાન અપાયું છે.

  14. 'આપણો છોકરો છે',નરેન્દ્ર મોદીએ ધોનીને રવીન્દ્ર જાડેજા અંગે આવું કેમ કહ્યું હતું?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને ભાજપે જામનગર (ઉત્તર)માંથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી છે.અને રવીન્દ્ર જાડેજા તેમનાં પત્ની ઉપરાંત ભાજપનો પ્રચાર પણ કરી રહ્યા છે.

    એવામાં રવીન્દ્ર જાડેજાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સાથેનો એક કિસ્સો વાગોળ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કિસ્સાઓ કહેતી વેબસાઇટે રવીન્દ્ર જાડેજાનો આ અંગેનો વીડિયો શૅર કર્યો છે.

    એ વીડિયોમાં જાડેજા કહે છે,"મોદી એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને મોઢેરા સ્ટેડિયમાં દક્ષિણ આફ્રિકા સાથે અમારી મૅચ હતી."

    "એ વખતે અમારા કૅપ્ટન માહીભાઈ (મહેન્દ્રસિંહ ધોની) હતા. માહીભાઈએ મારી એમની સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારે મોદીસાહેબે જાતે જ કહ્યું હતું, 'ભાઈ આ તો આપણો છોકરો છે. ધ્યાન રાખજો'"

    "આટલી મોટી વ્યક્તિ જ્યારે આવું કંઈ કહે ત્યારે તમને બહુ ખાસ લાગતું હોય છે."

    આ પહેલાં સોમવારે જાડેજા રીવાબા સાથે જામનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમના ટ્વિટર એકાઉન્ટમાં પણ મોટા પ્રમાણમાં ભાજપ સંબંધિત સામગ્રીઓ જોવા મળી રહી છે.

    મહત્ત્વપૂર્ણ છે કે ટી20 વર્લ્ડકપમાં રવીન્દ્ર જાડેજાનો ભારતીય ટીમમાં સમાવેશ નહોતો કરાયો.

    રોહિત શર્માની કૅપ્ટનસીવાળી આ મૅચમાં ભારત સેમિફાઇલનમાં ઇંગ્લૅન્ડ સામે હારી ગયું હતું.લેફ્ટ-આર્મ સ્પિન બૉલિંગ, લૉઅર ઑર્ડર બેટિંગ અને ચુસ્ત ફિલ્ડિંગને જાડેજા ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્ત્વનો ગણાય છે.

  15. ફિફા વર્લ્ડકપ : બે ખેલાડીઓ વચ્ચે એવી અથડામણ થઈ કે એકના નાકમાંથી લોહી વહેવા લાગ્યું, સ્ટ્રેચરથી લઈ જવો પડ્યો

    ફિફા વર્લ્ડકપ

    ઇમેજ સ્રોત, Getty Images

    ફિફા વર્લ્ડકપમાં ઈરાનની શરૂઆત નબળી રહી છે અને ઇંગ્લૅન્ડના હાથે તેણે 2-6થી પરાજયનો સામનો કરવો પડ્યો છે.જોકે, આ મૅચમાં ઈરાની ગૉલકિપરને ગંભીર ઈજા પણ પહોંચી છે.

    સોમવારે ખલીફા સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં અલીરેઝા બેરનવંદ સાથી ખેલાડી માજિદ હુસૈની સાથે અથડાઈ ગયા. આ અથડામણમાં તેમને ગંભીર ઈજા પહોંચી અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું.

    મૅચની 12મી મિનિટે આ ઘટના ઘટી અને સારવાર બાદ અલીરેઝાએ મૅચ રમવાનું ચાલુ રાખ્યું. જોકે, 19મી મિનિટે તેઓ પડી ગયા અને સ્ટ્રેચરમાં તેમને મેદાનની બહાર લઈ જવા પડ્યા.એ બાદ તેમની જગ્યાએ હોસૈન હોસૈની કનકશન સબસિટ્યુડ તરીકે ગૉલકિપિંગ કરવા આવ્યા.

    જોકે, આ બધાની અસર રમત પર પડી અને ઇંગ્લૅન્ડે મૅચ પર પકડ જમાવી લીધી.

    અલીરેઝા બેરનવંદ લૉન્ગ થ્રૉ માટે જાણીતા છે અને તેમના નામે સૌથી લાંબા થ્રૉ (61.26 મિટર)નો વિશ્વ વિક્રમ પણ નોંધાયેલો છે.

  16. શ્રદ્ધા મર્ડર કેસ : દિલ્હી પોલીસને આફતાબના ચાર દિવસના રિમાન્ડ મળ્યા

    આફતાબ

    ઇમેજ સ્રોત, ANI

    દિલ્હીની સાકેત કોર્ટે મંગળવારે શ્રદ્ધા મર્ડર કેસ સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી કરતા આરોપી આફતાભ પુનાવાલાના રિમાન્ડને ચાર દિવસ માટે વધારી દીધા છે.

    અગાઉ કોર્ટે દિલ્હી પોલીસને પાંચ દિવસના રિમાન્ડની મંજૂરી આપી હતી, પરંતુ પોલીસે આ મામલે કોર્ટ પાસેથી વધુ દિવસોના રિમાન્ડ માગ્યા હતા.

    બાદમાં મંગળવારે એક વિશેષ સુનાવણી દરમિયાન આફતાબને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

    દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આ મામલે કોઈ ઠોસ પુરાવા મળ્યા હોવાની માહિતી આપી નથી. દિલ્હી પોલીસ છેલ્લા કેટલાક દિવસથી મૃતકના શરીરનાં અંગો શોધી રહી છે.

    અત્યાર સુધીમાં દિલ્હી પોલીસને આફતાબના રિકન્સ્ટ્રક્શનને આધારે દક્ષિણ દિલ્હીના જંગલ અને નાળામાંથી કેટલાંક હાંડકાં મળ્યાં છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધાં છે.

    આ સાથે જ દિલ્હી પોલીસ આફતાબના નાર્કો ટેસ્ટ અને પૉલિગ્રાફી ટેસ્ટની પણ તૈયારી કરી રહી છે.

  17. મોરબી પુલ દુર્ઘટનામાં અસલી ગુનેગારો સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? રાહુલ ગાંધી

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, @INCIndia

    ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

    ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, “મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે સત્તારૂઢ ભાજપ સાથે તેમના સારા સંબંધ છે.”

    આ વાત રાહુલ ગાંધીએ સોમવારે રાજકોટમાં બીજી ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કહ્યું હતું કે, “સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ અસલી ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.”

    રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે, “અહીં મોરબી દુર્ઘટના ઘટી હતી, એ સમયે પત્રકારોએ મને પૂછ્યું કે આ વિશે તમે શું વિચારો છો? મેં કહ્યું, લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ કોઈ રાજકીય મુદ્દો નથી, તેથી હું તેના પર કંઈ જ કહીશ નહીં. પરંતુ આજે સવાલ એ ઊઠે છે કે, આ ઘટના સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જે લોકો આ ઘટના માટે જવાબદાર હતા તેમની સામે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી?”

    સોમવારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

  18. બ્રેકિંગ, સોલોમન ટાપુ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

    પ્રશાંત મહાસાગરમાં આવેલા સોલોમન દ્વીપ અને પાપુઓ ન્યૂ ગિનીમાં મંગળવારે સવારે 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાના સમાચાર મળ્યા છે.

    સમાચાર એજન્સી રૉયટર્સે આ અંગે જાણકારી આપી છે.

    ભૂકંપ આવ્યા બાદ આ વિસ્તારમાં સુનામીની લહેરો આવવાની ચેતવણી પણ અપાઈ છે.

    આ પ્રાકૃતિક આફત અંગે વધુ માહિતી ઉમેરાઈ રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  19. ચીનની એક ફેકટરીમાં આગ, 36 લોકોનાં મોત

    ચીનની એક ફેકટરીમાં લાગી આગ

    ઇમેજ સ્રોત, Social Media

    ઇમેજ કૅપ્શન, ચીનની એક ફેકટરીમાં લાગી આગ

    ચીનના હેનાન વિસ્તારમાં સોમવારે બપોરે એક ફેકટરીમાં આગ લાગવાથી 36 લોકોનાં મૃત્યુ થયાં છે. બે લોકો હજુ લાપતા છે.

    સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક સંસ્થાઓના અહેવાલ અનુસાર આ માહિતી આપી છે. આ મામલા અંગે ચીની ન્યૂઝ એજન્સીએ પણ માહિતી આપી છે.

    ચીનમાં આગ નિવારણના નિયમોની અવગણનાના કારણે ઔદ્યોગિક કારખાનાંમાં આગ લાગવાની ઘટનાઓ ઘટે છે.

    વર્ષ 2019ના માર્ચ મહિનામાં શાંઘાઈથી 260 કિલોમીટર દૂર આવેલી એક કૅમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થવાથી 78 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    આ પહેલાં વર્ષ 2015માં ઉત્તર તિયાનજિનમાં એક કૅમિકલ વેરહાઉસમાં બ્લાસ્ટ થવાથી 165 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

  20. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    21 નવેમ્બરના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.