સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા માટે જામીનદાર બન્યાં અભિનેત્રી સુહાસિની મૂળે, સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા, ભીમા કોરેગાંવ મામલામાં આરોપી છે.

ઇમેજ સ્રોત, @pipfpdindia
મુંબઈની વિશેષ અદાલતમાં સુહાસિની મૂળે ગૌતમ નવલખાને ઘરમાં નજરબંધ કરવા માટે જામીનદાર બન્યાં છે.
સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા, ભીમા કોરેગાંવ મામલામાં આરોપી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તેમને જેલના સ્થાને ઘરમાં એક મહિના માટે નજરબંધ કરવાનો આદેશ કર્યો હતો.
70 વર્ષના નવલખાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ ઘણી બીમારીઓથી પીડિત છે અને તેમને જેલના સ્થાને ઘરમાં નજરબંધ રાખવાની અનુમતિ આપવામાં આવે.
જામીનદાર એ વાતની જવાબદારી લે છે કે એક વ્યક્તિને જેલમાંથી મુક્ત કરાઈ રહ્યા છે, કોર્ટના કહેવા પર તે તેની સામે રજૂ થશે.
અભિનેત્રી સુહાસિનીએ કહ્યું કે ગૌતમ નવલખાને તેઓ 30 વર્ષ કરતાં વધુ સમયથી ઓળખે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ












