નરેન્દ્ર મોદીના નિવેદન 'રાહુલ સાંભળતા નથી'નો અર્થ રાહુલ ગાંધી સમજાવ્યો, શું કહ્યું?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડમાં એક સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો જવાબ આપ્યો.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, રાહુલ ગાંધીએ ગુરુવારે ઉત્તરાખંડમાં એક ચૂંટણીસભામાં કહ્યું, '' કાલે નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો. તેમાં તેમણે કહ્યું 'રાહુલ સાંભળતા નથી'. તેનો અર્થ તમે સમજ્યા. આનો અર્થ છે રાહુલ પર ઈડી અને સીબીએસઈનું દબાણ કામ નથી કરતું અને મારી વાત નથી સાંભળતા. હું કેમ સાંભળું?''
કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા તેમણે કહ્યું, ''નરેન્દ્ર મોદીજીએ નોટબંધી કરી, ખોટી રીતે જીએસટી લાગુ કરીને નાના અને મધ્યમ કારોબારીઓ તથા ખેડૂત-મજૂરોને તબાહ કરી દીધા.''
રાહુલ ગાંધીએ કહ્યું, "હું ચીન વિશે બોલ્યો કે ચીનની સેના ભારતની અંદર બેઠી છે, પરંતુ નરેન્દ્ર મોદીએ આની પર કંઈ ન કહ્યું. નરેન્દ્ર મોદીએ સંસદમાં લાંબું ભાષણ આપ્યું. તેમાં કૉંગ્રેસ પાર્ટી વિશે ખોટું બોલ્યા, મારા વિશે ખોટી વાતો કહી. આખું ભાષણ કૉંગ્રેસ પાર્ટી પર જ આપ્યું."
રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના મંગલોરમાં આયોજિત 'ઉત્તરાખંડી સ્વાભિમાન' કાર્યક્રમમાં કહી.
તેમના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા ભાષણમાં તેમણે કહ્યું કે, ''દેશમાં બે હિંદુસ્તાન બની રહ્યાં છે. એક ગરીબ અને બેરોજગાર હિંદુસ્તાન બીજું અમીર હિંદુસ્તાન.''
તેમણે કહ્યું કે,'' તમે જો અબજપતિ છો અને અમીર હિંદુસ્તાનનો ભાગ છો તો તમને અહીં બધું મળશે. પરંતુ જો તમે અમીર નથી તો અહીંયા તમારા માટે કોઈ જગ્યા નથી.''