ત્રણ વર્ષમાં 4.3 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢશે ચીન
ચીનમાં ગરીબી નિર્મૂલન માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચીને ત્રણ વર્ષમાં 4.3 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
રાષ્ટ્રપતિ જિનપિંગે દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં રહેતાં અત્યંત ગરીબ લોકોનું જનજીનવ સહેલું બવાવવા કેટલાક પગલાં લીધાં છે.
નવા ગામો સ્થાપીને લોકોનું પુનર્વસન હાથ ધરવામાં આવ્યું છે. ગામડાંમાં બાળકો માટે શાળાઓ બનાવવામાં આવી રહી છે.
અત્યાર સુધી પચાસ લાખ લોકોનું નવનિર્મિત ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
એક લોખંડની સીડી વિસ્થાપન ચીનની ગ્રામીણ સુરત બદલવાના અભિયાનનું પ્રતીક બની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો