You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધંધા-પાણી : શું હવે સુધરશે ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો?
પાકિસ્તાન ઇમરાન ખાનને વડાપ્રધાન તરીકે તાજપોશી થઈ ગઈ છે અને દરવખતની જેમ બંને બાજુએ શાંતિચાહક લોકો બે દેશો વચ્ચેના સંબંધો સુધરશે એવી અપેક્ષા રાખી રહ્યા છે.
પોતાને ક્રિકેટ ક્ષેત્ર પર એક ઓલ-રાઉન્ડ સાબિત કરનાર ઇમરાન ખાન સામે હવે રાજકારણ પણ ઓલ રાઉન્ડ દેખાવ કરવાનો એક પડકાર છે.
પાકિસ્તાનું વિદેશી હૂંડિયામણ સતત ખાલી થઈ રહ્યું છે અને નવી સરકારને આર્થિક તંગીનો સામનો કરવો પડે તેવા સંજોગો છે. એવી અટકળો પણ થઈ રહી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે બીજા બેલઆઉટ પેકેજની માંગણી કરી શકે છે.
ચૂંટણી જીત્યા બાદ, ઈમરાન ખાને કહ્યું કે તે વેપારના મહત્ત્વને સમજે છે અને ભારત સાથેના વેપાર સંબંધો સુધારવા માગે છે. આ પાછળ ઇમરાન ખાનનો અંગત અનુભવ હોઈ શકે છે. ભૂતકાળમાં, ઇમરાનના ઘણી ભારતીય કંપનીઓ સાથે વેપાર સંબંધો રહ્યાં છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 80 ના દાયકામાં ભારત આવી ત્યારે ઇમરાને ગોધરાની સીંથોલ સાબુ માટે પ્રથમ એડ કરી હતી. આ પછી, ઇમરાને સોફ્ટ ડ્રિન્કસ માટે તે સમયના ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર સાથે જાહેરાતમાં કામ કર્યું હતું.
તેથી આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો કેવા છે? તેના વિશે જાણીએ.
ઐતિહાસિક અને રાજકીય કારણોસર ભારત અને પાકિસ્તાનના સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહ્યા છે.
બંને દેશો ઔપચારિક રીતે વર્ષ 2006 માં એક ટ્રેડિંગ પાર્ટનર બની ગયા હતા, જ્યારે બંને દેશોએ દક્ષિણ એશિયાઈ મુખ્ય વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ક્યાંથી થાય છે માર્ગ મારફતે વેપાર?
અમૃતસર નજીક વાઘા સરહદ
સલામાબાદથી મુઝફફરાબાદ, ભારત પ્રશાસિત કાશ્મીરના
બારમુલ્લા જિલ્લ અને ઉરી પૂંછમાં ચકા દી બાગમાંથી રાવલાકોટ
કેટલો વેપાર?
ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર ખૂબ જ ઓછો છે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સ અને ત્યારબાદ યુનાઈટેડ અરબ અમીરાતને મોટાભાગની ચીજો નિકાસ કરે છે. દક્ષિણ એશિયામાં પણ સાત દેશોની યાદીમાં છઠ્ઠા સ્થાને પાકિસ્તાન આવે છે.
2006-07 માં પાકિસ્તાનને ભારતની નિકાસ 167 મિલિયન ડોલર હતી જે 2007-08માં વધીને 224 મિલિયન ડોલર થઈ હતી, પરંતુ તે પછીથી આંકડાઓમાં ઘણું પરિવર્તન થયું નથી, અને 2015-16માં આ આંકડો $ 261 મિલિયન હતો.
પાકિસ્તાનથી ભારતમાં આયાત કરવાનું વધુ ખરાબ છે. 2015-16માં પાકિસ્તાનએ 44 મિલિયન ડોલરની ચીજવસ્તુઓ ભારતને નિકાસ કરી હતી.
ભારત પાકિસ્તાનથી શું આયાત કરે છે?
સુકા ફળો
પોર્ટલેન્ડ સિમેન્ટ
યુરિયા
જીપ્સમ
લેધર
પાકિસ્તાન ભારતમાંથી શું નિકાસ કરે છે?
પેટ્રોલિયમ તેલ
કપાસ
કાર્બનિક રસાયણો
ખાદ્ય તેલ
પ્લાસ્ટીક માલ
મશીનરી
ભારતે 1996 માં પાકિસ્તાનને સૌથી વધુ તરફેણ કરેલા રાષ્ટ્રોનો દરજ્જો આપ્યો. નામ દ્વારા એવું લાગે છે કે ભારત તેના પડોશીઓને પાકિસ્તાનને વેપારમાં સૌથી વધુ અગ્રતા આપે છે, પરંતુ ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય છે તેનો મતલબ એવો થાય છે કે ભારત વેપારમાં પાકિસ્તાન સહિતના કોઈપણ દેશ સાથે ભેદભાવ નહીં કરે. ભારતના કુલ વૈશ્વિક વેપારમાં, પાકિસ્તાનમાં થતો વેપાર અડધો ટકો પણ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો